અંધશ્રદ્ધા ક્યારે દુર થશે?
આજે જ્યારે દરેક વ્યક્તિ શિક્ષિત થવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ એવો વર્ગ પણ છે જે અંધશ્રદ્ધા ના વાતાવરણ માંથી બહાર નથી નીકળવા માંગતો કોઈ આજે પણ લોકો પોતાની કોઈ શારીરિક બીમારીને દુર કરવા માતાજીને પ્રસાદ ચડાવવાનું વચન આપતા હોય છે તો કોઈ પોતાને ત્યાં પુત્ર અવતરે તેના માટે પગપાળા કોઈ મંદિર કે કોઈ મસ્જીદ ઘણા કિલોમીટર દુર ચાલતા હોય છે તો કોઈ પોતાના જીવન સાથી માટે ભૂખ્યા રહી ને ઉપવાસ કરતા હોય છે, આ ઉપરાંત આવો વર્ગ પણ છે જે બાળકો કે કોઈ જાનવરની બલી અથવા પોતાના અંગોની બલી ચડાવતા હોય છે એવું નથી કે આવી અંધશ્રદ્ધામાં ફક્ત અભણ વ્યક્તિ જ માનતા હોય છે પરંતુ ભણેલો શિક્ષિત વર્ગ પણ અંધશ્રદ્ધામાં સપડાયેલો છે. (સૂર્યગ્રહણના દિવસે કર્ણાટકના ગુલબર્ગા શહેરના એક તળાવમાં 60 માસુમ બાળકોને ગરદન સુધી દાંટી દેવામાં આવ્યા હતા. અંધશ્રધ્ધાના નામે બાળકોના માતાપિતાએ કલાકો સુધી માસુમ બાળકોને દાટી રાખ્યા હતા. )
Tuesday, February 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment