Saturday, February 20, 2010

"૩- idiots ની બાળકો પર અવળી અસર"


"૩- idiots ની બાળકો પર અવળી અસર"


હાલમાંજ પ્રદર્શિત થયેલી ફિલ્મ ૩- idiotsમાં શિક્ષણને લયને જે વાસ્તવિકતાઓ દર્શાવવામાં આવી છે તેની વર્ષ ૧૦ થી ૧૫ ની ઉમર ધરાવતા વિદ્યાર્થીઓ પર અવળી અસર થયી છે. આ ફિલ્મના ત્રણ પાત્રોમાં એક પાત્ર છે રાજીવનું આ રાજીવ પોતાના જીવનમાં શિક્ષણ અને પોતાની ઘરની પરિસ્થિતિને કારણે તાણમાં આવીને આત્મહત્યા કરે છે જો કે એ બચી જાય છે અને પછી પાછળથી તેને જે આત્મહત્યાનું પગલું ભર્યું હતું તે ખોટું હતું તેની ભૂલ તેને સમજાય છે. પરંતુ આજે આવો શિક્ષણને લયીને તાણ અનુભવતા કુમળા બાળકો આ દ્રશ્યને જોઇને તેનું આંધળું અનુકરણ કરવા લાગે છે જે ખુબ જ ચિંતાજનક બાબત છે, હાલ ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાં ખાસ કરીને ફિલ્મના અડ્ડા સમાન રાજ્ય મુંબઈમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉમરના વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ખુબ જ તેજીથી વધી રહ્યું છે. આ આત્મહત્યાઓને રોકવા માટે અને વિદ્યાર્થીઓ તાણ મુક્ત થાય એ માટે ગુજરાત શૈક્ષણિક બોર્ડે પોતાની હેલ્પ-લાઈન શરુ કરી છે, વાલીઓની પણ ફરજ બને છે કે તેઓ પોતાના બાળકોને સમજે અને આવા પગલા ન ભરવા સમજાવે.

No comments:

Post a Comment